જમ્મુ-કાશ્મીરની ખીણમાં ટેન્કર ખાબકતા ઢીમાના જવાનનું મોત
જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અકસ્માતમાં બે આર્મીના મૃત્યુ થયા હતા
વિરજવાનની માદરે વતન ખાતે "ગાર્ડ ઓફ ઓનરalt39 સાથે અંતિમવિધિ કરાઇ
વાવ તાલુકા ના ઢીમા ગામના વીરજવાનનું જમ્મુકાશ્મીરના પૂંચ જિલ્લામાં અવસાન થતાં તેના પાર્થિવદેહને બુધવારે પાલનપુર લવાયા બાદ માદરે વતન ખાતે લઇ જવાયો હતો. જ્યાં રાજકીય અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સદગત જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વાવ તાલુકાના ઢીમા ગામનાે 26 વર્ષિય ખાનાભાઇ રામાભાઇ પટેલ અઢી વર્ષ અગાઉ દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. તે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સરહદ નજીક આવેલ મેંઢર સેકટરમાં ફરજ બજાવતો હતો. 17ઓગસ્ટના રોજ વીરજવાન ખાનાભાઇ મધ્યપ્રદેશના ઇન્દોરના જવાન સાથે પાણીનું ટેન્કર ભરવા જઇ રહ્યા હતા. ત્યારે એકાએક ટેન્કર સ્લીપ ખાઇ જઇ ખીણમાં ખાબકતાં ખાનાભાઇ તથા ટેન્કર ચલાવી રહેલ ઇન્દોરના જવાનનું મૃત્યુ થયું હતું. આથી મૃતકના પાર્થિવ દેહને બુધવારે પાલનપુર લવાયા બાદ ત્યાંથી એમ્બ્યુલન્સમાં માદરે વતન ઢીમા ખાતે લવાયો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૃદયફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બહોળી સંખ્યામાં આવેલ લોકોની હાજરીમાં વીરજવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવતાં સમગ્ર ઢીમા ગામ હિબકે ચડ્યું હતું..આ અંગે મૃતકના પિતા રામાભાઇ લખમણભાઇ પટેલે જણાવ્યું હતું કે મારો પુત્ર દેશની રક્ષા માટે ગયો હતો, ભગવાને તેને છીનવી લીધો.
વાવ તાલુકાના ઢીમા ગામના વીરજવાનનું જમ્મુકાશ્મીરના પૂંચ જિલ્લામાં અવસાન થતાં તેના પાર્થિવદેહને બુધવારે પાલનપુર લવાયા બાદ માદરે વતન ખાતે લઇ જવાયો હતો. જ્યાં રાજકીય અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સદગત જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વાવ તાલુકાના ઢીમા ગામનાે 26 વર્ષિય ખાનાભાઇ રામાભાઇ પટેલ અઢી વર્ષ અગાઉ દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. તે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સરહદ નજીક આવેલ મેંઢર સેકટરમાં ફરજ બજાવતો હતો. 17ઓગસ્ટના રોજ વીરજવાન ખાનાભાઇ મધ્યપ્રદેશના ઇન્દોરના જવાન સાથે પાણીનું ટેન્કર ભરવા જઇ રહ્યા હતા. ત્યારે એકાએક ટેન્કર સ્લીપ ખાઇ જઇ ખીણમાં ખાબકતાં ખાનાભાઇ તથા ટેન્કર ચલાવી રહેલ ઇન્દોરના જવાનનું મૃત્યુ થયું હતું. આથી મૃતકના પાર્થિવ દેહને બુધવારે પાલનપુર લવાયા બાદ ત્યાંથી એમ્બ્યુલન્સમાં માદરે વતન ઢીમા ખાતે લવાયો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૃદયફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બહોળી સંખ્યામાં આવેલ લોકોની હાજરીમાં વીરજવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવતાં સમગ્ર ઢીમા ગામ હિબકે ચડ્યું હતું..આ અંગે મૃતકના પિતા રામાભાઇ લખમણભાઇ પટેલે જણાવ્યું હતું કે મારો પુત્ર દેશની રક્ષા માટે ગયો હતો, ભગવાને તેને છીનવી લીધો.
રાજ્ય મંત્રી, પૂર્વ મંત્રી સહિત અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી
વીરજવાનનાપાર્થિવ દેહને બુધવારે વતન ઢીમા ખાતે લવાતા રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી પરબતભાઇ પટેલ, અને જિલ્લા ભાજપ મહામંત્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડીયા, થરાદ નાયબ કલેકટર શિવાજી તબીયાર, વાવ પીએસઆઇ આર.જી.ચૌધરી સહિત અગ્રણીઓ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જવાનના બે વર્ષ અગાઉ લગ્ન લેવાયા હતા
વીરજવાનખાનાભાઇના બે વર્ષ અગાઉ વાવ તાલુકાના ઢેરીયાણા ગામે ખેમુબેન સાથે લગ્ન થયા હતા. તેમને હજુ સુધી સંતાન પ્રાપ્ત થઇ હતી.
0 टिप्पणियाँ:
आपके अतुल्य कमेंट के लिये कैप्स परिवार आपका आभारी है, हमें बेहतर सेवा देना का अवसर प्रदान करे।